Saturday, July 27, 2024

શિર્ષક: આર્થિક ઉન્નતી પ્રવાહ રોકતા ઓહ્મ ના નુસખા

શિર્ષક: આર્થિક ઉન્નતી પ્રવાહ રોકતા ઓહ્મ ના નુસખા 
આજની વાત ભૂલ ચૂક લેવી સાથે

આજનો આ વિષય થોડોક અટપટો છે પણ ગઈકાલે જ્યારે શ્રી જય નારાયણભાઈ વ્યાસ ની આર્થિક પ્રવાહના અનુસંધાનમાં હેમંતકુમાર શાહ સાથેની ડિબેટ જોઈ, તો ઘણી બધી વાતોની માહિતી મળી અને એમાં એ વાતોની માહિતીને આધીન અત્યારની વાતનું વિચાર વિસ્તરણ કરી શકીએ એવી પરિસ્થિતિ છે કે જે ભવિષ્યના 2026 ના બજેટ ની અંદર પ્રોક્યોરમેન્ટ શબ્દથી અનુકૂળ રહી શકે એવું છે.

ભારત સરકારે આ વખતે 48 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું બજેટ પેશ કર્યું જે ગયા વર્ષ કરતા લગભગ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા વધુ હતું..

ગયા વર્ષની જીડીપીના અનુસંધાનમાં જે બજેટની રકમ હતી તેમાંની 394 લાખ કરોડ રૂપિયા 7% વધારી અને 422 લાખ કરોડની જીડીપી કરવાની વાત થઈ અને એ જ 422 લાખ કરોડ રૂપિયા માંથી બે ટકા એજ્યુકેશનના માટે આપ્યા જે એક લાખ 26 હજાર કરોડ રૂપિયા થયા જે એક્ચ્યુલી 0.3% છે પણ એજ્યુકેશન માટે આપવાનો પર્સન્ટેજ બે ટકા હોવો જોઈએ એ પણ મૂળ બજેટમાંથી તે નથી આપ્યો.. આમ તો ચાર લાખ કરોડની જોગવાઈ કરવી જોઈએ પણ એની સામે માત્ર એક લાખ 26 હજાર કરોડની જ જોગવાઈ કરી છે...

આખા ભારતમાં ટોટલ 454 ખાનગી યુનિવર્સિટી છે અને 31,000 ખાનગી કોલેજ છે ગુજરાતની અંદર જ માત્ર 44 લાખ બાળકો ખાનગી શાળામાં છે યુજીસી માંથી 100 માંથી માત્ર 26 વિદ્યાર્થીઓ જ કોલેજમાં જાય છે તો આ આંકડાની સામે આપેલ ખર્ચ ની બાહેધરી અને બાયોજરની સામે અપાતી મૂળ રકમ શા માટે અટપટી છે??? ભારતની અંદર જે વિદ્યા સહાયકોની ભરતી થતી હોય છે એમાં પણ આપણે પશ્ચિમ બંગાળમાં ચુંટણી સમયે ચોક્કસ પ્રકારનો ભ્રષ્ટાચાર જોઈ ચૂક્યા છે એના વિશે વધારે ચર્ચા નથી કરવી...

મારી પત્ની પણ ક્યારેક કહેતી હતી કે 30 કે 40 બાળકો ઉપર બે શિક્ષક હોય તેવું બાલમંદિર થી લઈને ત્રીજા ચોથા ધોરણ સુધી સારું રહી શકે 

હાલમાં તો જે વિદ્યા સહાયકોની ભરતી એક બાજુ કરી રહ્યા છે અને એક બાજુ શિક્ષણની અંદર જે બજેટ છે એની ઉપરનો જીડીપીના અનુસંધાનમાં ન મુકાયેલો કાપ પણ વિશેષજ્ઞ પ્રયોજી શકે છે જે સાશ્ચર્ય સહિત પ્રશ્નાર્થ ઉભો કરે જ છે...

બીજી એક વાત એવી છે કે મનરેગા ની અંદર 54 દિવસની રોજગારી અપાય છે જેનો ખર્ચ અંદાજિત 60000 કરોડ રૂપિયા ગયા વર્ષે હતો અને થયો વર્ષે 86 હજાર કરોડ રૂપિયા ખર્ચો જ ગયા વર્ષનો બતાવે છે... તો આ વખતે બજેટના ધરાધરણોમાં એ રકમ એમણે થોડી 25 20 ટકા વધારીને કહી શકવાનો અંદાજ મુકવો જરુરી હતો પણ ફરીથી અમે તે 86,000 કરોડ જ બતાવ્યો છે.. પ્રોક્યોરમેન્ટ બજેટના લેવલ ઉપર એ 86 હજાર કરોડની જે રકમ છે તે વધીને 1,20,000 કરોડ થવી જોઈતી હતી પણ એ કરી નહીં તે પણ એક પ્રશ્ન છે... શા માટે એકના એક જ ટાર્ગેટ મૂકવા અને પછી એ ટાર્ગેટ બદલાય ત્યારે તુર્તજ ખર્ચ ની રકમ જ નવા બજેટ માં મૂકવાની????
પ્રશ્ન ગંભીર કહી શકાય...

જે રાજ્યોને ખાસ સવલત અથવા તો વિશેષ દરજ્જો આપવાની વાત છે તેવા આંધ્ર બિહાર કે બીજા રાજ્યોને સાથે સાથે લડાકની પણ વાત વિચારાય નથી કે જેના માટે સોનમ વાંગચૂકભાઈ આમરણ અનશન  ઉપર ઉતર્યા હતા.. એ વખતે ચૂંટણીનો પીક અપ સમય ચાલતો હતો અને ભીનું સંકલાયું હતું.. એમનો મુદ્દો પણ ત્રિપુરા અને મેઘાણીની જેમ લદાખને ખાસ દરજ્જો આપવાની છે છઠ્ઠી અનુસૂચિ છે એના અનુસંધાનમાં જ છે... જે હાલમાં બિહાર આંધ્ર અને તેલંગાના ને સરકારે એમને માપી દીધું છે માત્ર રૂપિયાની સહાયથી...

સોનમ વાંગચુક અને સ્થાનિક લોકો લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. કલમ 370 નાબૂદ કર્યા પછી, લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની જેમ, અહીં કોઈ સ્થાનિક કાઉન્સિલ નથી. છઠ્ઠી સૂચિમાં સમાવેશ કર્યા પછી, લદ્દાખના લોકો સ્વાયત્ત જિલ્લા અને પ્રાદેશિક પરિષદોની રચના કરી શકશે, જેમાં સામેલ લોકો સ્થાનિક સ્તરે કામ કરશે. આ ઉપરાંત તેઓ લોકસભામાં બે બેઠકો અને કેન્દ્રીય સ્તરે રાજ્યસભામાં પ્રતિનિધિત્વની પણ માંગ કરે છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલાથી જ છઠ્ઠી સૂચિમાં સામેલ છે, જે આદિવાસી સમુદાયને વિશેષ સુરક્ષા પ્રદાન કરે છે. આ પ્રકારના વિશેષ અધિકારો ખાસ તરત જો જ્યારે મળે ત્યારે થતા હોય છે...

એ વાત તો બાજુએ રહી અને હાલમાં આંધ્ર બિહાર તેલંગણા જેવા રાજ્યોને કોઈપણ પ્રકારની બાહેધરી વગર ત્યાંના ચીફ મિનિસ્ટરોની સાથ ગાંઠ લઈ અને નફો કેટલો આપશે એ એગ્રીમેન્ટ કર્યા વગર સીધું જ ખાસ દરજ્જો આપી દેવાની જે વાત કેન્દ્ર સરકારની છે તે મને તો યોગ્ય લાગતી નથી...

નાણાપંચ ટેક્સની આવકમાંથી રાજ્યની વસ્તી, રાજ્યની સવલત, રાજ્યની ગરીબી, રાજ્યની સ્થિતિ, રાજ્ય સરકારની સ્થિતિ અને સાથોસાથ ત્યાંની અસ્ક્યામતો અને બીજી અમુક બાબતોના નફા નુકસાનના ધોરણ ઉપર, જાણ્યા બાદ રાજ્યોને કેટલી રકમ આપવી તે નક્કી કરે છે... સીધી લાની કરવી એ કોઈ પણ સરકાર માટે ગેર વ્યાજબી ધોરણ કહી શકાય.... બિહારમાં તો એનું ઉદાહરણ સાબુ જ છે 10 પુલ તૂટી ગયા છે...

ડિબેટમાં એ વસ્તુ પણ જાણવા મળી કે 52% જીએસટી સામાન્ય વર્ગ તરફથી આવે છે અને 45% જીએસટી એ મધ્યમ વર્ગની પાસેથી આવે છે અને જે ઉપરના અતિશય કમાણી વાળા લોકો છે તે 3% માત્ર આપે છે...

ગુજરાતના રાજ્ય સરકારના બજેટમાં ભુપેન્દ્રભાઈ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે 1000 કરોડ આપશે, પણ 1000 કરોડની ફાળવણી માટેનો જે વિગતવાર હિસાબ છે તે કદાચ ખૂબ જ અટપટો છે એ પણ એક ચર્ચાનો વિષય છે કે તમે દવાઓની અંદર એ ખર્ચો આપો છો કે પછી આયુષ્યમાન કાર્ડ તરફથી જે પેકેજની સુવિધા મળે છે એની અંદર આપો છો???

બજેટની આંતરિક અને અંતિમ બાબતોનો જે નિષ્કર્ષણ આવે છે તેની અંદર ક્યાંક કોક જગ્યાએ વહીવટ અલગ પ્રકારના હોઈ શકે એવું પણ લાગી રહ્યું છે...

માણસ તરીકે મને વધારે તો ખબર નથી પણ કલમાડી નામની વ્યક્તિએ એશિયન ગેમ્સ ની અંદર ટોયલેટ પેપર ના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આવ્યો હતો એ વાત તો જગ જાહેર છે જ...

કોર્પોરેશન હોય કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર ની રૂપિયાની ફાળવણી બાદ થયેલા ચોક્કસ કામોની અંદર પણ ક્યારેક ક્યારેક મોટા મોટા દાબડા પડતા જોયેલા છે... તો મેન્ટેનન્સ વિશે સરકાર શું વિચારે છે તે પણ કોઈ ઉલ્લેખ હજી સુધી મેં જોયો નથી... કોન્ટ્રાક્ટ કરવો એ વસ્તુ અલગ છે પણ જોગવાઈમાં એને એના ફાળવણીના રૂપિયા આપવા એ પણ એક વિષય ઉંચો છે...

જોઈએ હવે 2026 ના બજેટમાં બે વ્યક્તિઓ પ્રોક્યોરમેન્ટ શબ્દને કેવી રીતે મૂલવે છે??!!

ખુશામદીન 
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Monday, July 22, 2024

Probabilities of jobs નોકરીઓ ની શક્યતાઓ છે જ

Government making Ayushman cards, is good but if collaborate with PF number and ESIC Card, then they can mapping the results oriented saving money for further budgets planning with new jobs numbers too within records of employment exchange.

fewer records are also available in 2012 filled up population from details for families..

This is My personal suggestion.. and even model Gujarat is also so far from said details.

Demo work could be eye opener for any CM of any State of India kingdom...

If possible.. do implementation on such good words..

Happy Moments With Today's newspaper details.. showing that government need to give 80 lakhs jobs.. for maintaining GDP 7%!!??

So many BSNL MTNL jobs still empty after bulky voluntary resignation.. probably 70 to 80 thousands...

Still regional Doordarshan Kendra and postal department has pending space for jobs..

They can make placement contract to for maintaining job figures...as well as salary commission money with increment status..

GST is on price hiked ways increased Last year's alongwith Russia's crude oil business with Indian EXIM policies..

If government will fail to do so work on such steps than or  otherwise eight salary commission is not possible..probably ..

Jay Gurudev Dattatreya  
Jay Hind  
Jigaram Jaigishya is a jigar

Whenever the sajiv Punj punch by Mattel components the eyes areas are blinking.. if not blinking then twice time thinking necessary.. is that attached with our areas or any how organised with us or we are Live or not??  
Deep Thinking and then making words..  
Jay Gurudev Dattatreya  
Jay Hind  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ


સરકાર આયુષ્માન કાર્ડ બનાવે છે, તે સારું છે પરંતુ જો PF નંબર અને ESIC કાર્ડ સાથે સહયોગ કરે છે, તો તેઓ રોજગાર વિનિમયના રેકોર્ડમાં પણ નવી નોકરીઓની સંખ્યા સાથે આગળના બજેટ આયોજન માટે નાણાં બચાવવા માટેના પરિણામોને મેપ કરી શકે છે.

2012 માં પરિવારો માટેની વિગતોથી ભરેલી વસ્તીમાં ઓછા રેકોર્ડ્સ પણ ઉપલબ્ધ છે. આ મારું અંગત સૂચન છે.. અને મોડલ ગુજરાત પણ આ વિગતોથી ઘણું દૂર છે.

ડેમો વર્ક ભારતના કોઈપણ રાજ્યના કોઈપણ મુખ્યમંત્રી માટે આંખ ખોલી શકે છે... બની શકે તો આવા સારા શબ્દો પર અમલ કરો..

આજના અખબારની વિગતો સાથે ખુશીની ક્ષણો.. દર્શાવે છે કે જીડીપી 7% જાળવી રાખવા માટે સરકારે 80 લાખ નોકરીઓ આપવાની જરૂર છે!!??

જોરદાર

સ્વૈચ્છિક રાજીનામા પછી પણ BSNL MTNLની ઘણી નોકરીઓ ખાલી છે.. કદાચ 70 થી 80 હજાર... હજુ પણ પ્રાદેશિક દૂરદર્શન કેન્દ્ર અને પોસ્ટલ વિભાગમાં નોકરીઓ માટે જગ્યા બાકી છે. તેઓ નોકરીના આંકડા જાળવવા માટે પ્લેસમેન્ટ કોન્ટ્રાક્ટ કરી શકે છે...તો જ આઠમા વેતન કમિશનના પૈસા ઇન્ક્રીમેન્ટ સ્ટેટસ સાથે શક્ય બનશે..

...કદાચ...

ભારતીય એક્ઝિમ નીતિઓ સાથે રશિયાના ક્રૂડ ઓઇલના કારોબારની સાથે ગયા વર્ષે ભાવમાં વધારો કરાયેલા માર્ગો પર GST સંધાન થયુ છે. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો, પગલાઓ પર કામ ન કરશે અથવા તો આઠમુ પગાર પંચ શક્ય નથી..  ..

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ



Friday, July 19, 2024

Inequality of income...

Inequality of income, due to source, are common for all countries..

Government official employees equal to private companies or corporate office employees salary variable at rules and regulations...but without balancing mode.. with profit margins higher different.. government scale profit is like lower if compared with private profit income of proprietor or MD or corporate ownership..

Taxes, electricity bill, petroleum, share of states to central are increasing for government employees salary but private employees are getting increment only that time when profit distribution done by MD but mostly MD taken loan even for his own home instead of using money at business...

Very odd but main point statement given by me..

Jay Gurudev Dattatreya 
Jay Hind 
Jigaram Jaigishya is a Jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 
See.. this is tribal photo of Vedic yup method... it's not porn..but so many white skin people made benifits of body in ancient times from Africa...

Jay Hind 
another example of golden hair boy..
His parents are simple labour only with black hair but his hairs are golden????

Jay Gurudev Dattatreya 
Jay Hind 
Jigaram Jaigishya is a Jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 



Sunday, July 7, 2024

ભારતીય ચલણી સિકકા, સોનુ વીમાની સર્ગે

ઘણા વખતથી ભારતીય અર્થશાસ્ત્ર એના ધાતુના ચલણી સિક્કાઓથી યોજનો દૂર છે!!! એવું કેમ છે?

એક સરળ વાત એવી છે કે કોસ્ટ કટીંગ થતું હોવાથી ધાતુ મોંઘી હોવાથી કદાચ સિક્કાઓ છપાવતા નહીં હોય.

પરંતુ હવે તો જે હમણાના નવા સિક્કા આવેલા છે, એની સાઈઝ આપણે જોઈએ તો બહુ જ નાની અને નિમ્નકક્ષાનું માત્ર લોખંડ જ મહત્તમ ભેળવેલ જોવા મળે છે, એટલે આજે સહેજ વાત ચલણ સિક્કાઓની વિચારી ...

સોનાના સામાન્ય રીતે ૨૪ ભાગ કરવામાં આવે છે, ‘કૅરેટ' શબ્દ વાપરવાનો રિવાજ છે. ૯ કૅરેટ સોનું એટલે ૨૪ ભાગમાંથી ૯ ભાગ ! કૅરેટ શબ્દ અરબી 'કિરાત' પરથી આવ્યો છે, ચાર દાણાના વજનને કિરાત કહેતા હતા. નવ કૅરેટ સોનું એટલે એમાં માત્ર ૩૭.૫ ટકા સોનું હોય એ પ્રમાણ.

સર્વ પ્રથમ સોનાના સિક્કા છાપવાનું માન લીડીઆના રાજા ક્રોએસસને જાય છે, જે ઈસા પૂર્વ ૫૦૦માં થઈ ગયો. એ અત્યંત વૈભવી ધનિક હતો અને સો ભેગું કરતા રહેવાની એની પ્યાસ અનંત હતી. વાત એવી છે કે ક્રોએસસ જ્યા= યુદ્ધમાં હારી ગયો ત્યારે એની સોનાનો સંચય કરવાની અખૂટ પ્યાસને ધ્યાન-રાખીને શત્રુઓએ એના મોઢામાં ધગધગતું સોનું રેડીને એને મારી નાંખ્યો હતો.

૧૬મી સદીના આરંભમાં જર્મનીમાં 'થેલર'નું ચલણ શરૂ થયું જે કાલક્રમે ‘ડૉલર’ બની ગયું... ! અમેરિકાનો નવો દેશ જીત્યા પછી સ્પેનને અઢળક ચાંદી મળી. જેમાંથી ડૉલરો છપાતા ગયા, અને ૧૭મી-૧૮મી સદીમાં સ્પેનિશ ડૉલર વિશ્વચલણ બની ગયું.

મુઘલોએ સ્વર્ણ મહોરો છાપી હતી પણ એમનું ચલણ ચાંદીનો રૂપિયો બની ગયો.

ચીનાઓએ ક્યારેય સ્વર્ણમુદ્રાઓ છાપી નથી.

સોનાની મુદ્રાઓ ચલણ રૂપે બજારમાં મૂકવાની પ્રથા ઇતિહાસમાં લગભગ સર્વત્ર છે. પ્રાચીન ગ્રીકો ૪ ભાગ સોનું અને ૧ ભાગ ચાંદી મેળવીને 'સફેદ સુવર્ણ’ અથવા ઇલેક્ટ્રમના સિક્કાઓ મૂકતા ગયા. ફિલીપ અને એના પુત્ર ઍલેક્ઝાંડર ધ ગ્રેટના સ્વર્ણ સિક્કાઓ રોમન સામ્રાજ્યની સ્થાપના સુધી ચલણમાં હતા. આરબોએ ૭મી સદીમાં સીરિઆના બાયઝેન્ટિયમ વિસ્તારો જીત્યા અને ત્યાંના સોલિડસ સિક્કાનું ઇસ્લામીકરણ કરીને એને "દિનાર" નું નામ આપ્યું, અને આ "દિનાર" મુસ્લિમ દુનિયામાં પાંચસો વર્ષો સુધી ચલણ તરીકે ચાલ્યો.

ભારતવર્ષમાં કુશાણ અને ગુપ્તવંશોની સ્વર્ણમુદ્રાઓ પાંચમી સદીના અંત સુધી ચાલતી રહી હતી. દક્ષિણ ભારત સુવર્ણમાં માનતું રહ્યું હતું, પણ મુસ્લિમ શાસકો રૂપાના રૂપિયાઓ ચલાવતા રહ્યા હતા. તેરમી સદીનાં મહાન ઇટાલિઅન નગર-રાજ્યો, ફ્લોરેન્સ અને વેનિસ અને જીનોઆમાં સુવર્ણમુદ્રાઓ ચાલતી હતી.  
જૂન ૨૦, ૧૯૩૩ને દિવસે લંડનના ‘ટાઇમ્સ' પત્રે એક પૂર્તિ સોના પર પ્રકાશિત કરી હતી, પછી એ પૂર્તિનું પ્રકાશન પુસ્તકરૂપે થયું અને એમાં વિવિધ વિશેષજ્ઞોના અભ્યાસલેખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  સોના વિષે એક પૂર્તિ પ્રકટ થાય અને એમાં આટલી બધી અધિકૃત માહિતી હોય, જે બહુઆયામી અને બહુદેશીય હોય, એની પાછળ એક સંગીન કારણ હતું. ૧૯૨૯-૧૯૩૦ની ભયંકર વિશ્વમંદી પછી ગોલ્ડ સ્ટાન્ડર્ડ વિષે ચર્ચાઓ શરૂ થઈ હતી, અને બધી વસ્તુઓના ભાવ ગબડી ગયા હતા જ્યારે સોનાના ભાવ વધી રહ્યા હતા ! દરેક દેશ સોનાના સંચયમાં રસ લઈ રહ્યો હતો કારણ કે ૧૯૩૦ના આરંભનાં વર્ષોમાં દરેક દેશનું ચલણ એ દેશના સોનાના સ્ટૉક પર લગભગ નિર્ભર હતું. આ પુસ્તકમાં એક લેખ હોલ્ડિંગ અથવા જમા કરતા રહેવા વિષે છે અને એના લેખક છે : "સર કીકાભાઈ પ્રેમચંદ" ! ૧૯૩૩માં એટલે કે આજથી 91  / ૯૧ વર્ષ પહેલાં લંડનના 'ટાઇમ્સ'ની ખાસ પૂર્તિમાં લેખ પ્રકટ થાય એ ખરેખર એક સિદ્ધિ હતી.

સર કીકાભાઈ શરૂમાં નોંધે છે કે હિંદુસ્તાનના ઇતિહાસની એક પરંપરા રહી છે કે વિદેશી આક્રમકો આવતા રહેતા હતા અને સોનું લૂંટીને ચાલ્યા જતા હતા. હિંદુસ્તાનમાંથી હમેશાં સોનું બહાર જતું હતું. અંગ્રેજ શાસનની એક ફલશ્રુતિ એ છે કે આ પરંપરામાં પરિવર્તન આવ્યું. હવે હિંદુસ્તાનમાં બહારથી આવતું સોનું ઠલવાતું રહ્યું અને ગાયબ થતું રહ્યું. હિંદુસ્તાન વિષે ૧૯૩૩માં કહેવાતું હતું કે પૃથ્વીના પેટમાંથી ખોદી-ખોદીને ૧ લાખ માણસો સોનું બહાર લાવે છે, અને હિંદુસ્તાન એ વિરાટ ખાડો છે જેમાં ૩૫ કરોડ માણસો (તત્કાલીન વસતી) એ સોનુ દાટી કે સંતાડી કે ઘરેણાંઓમાં ઢાળી નાંખે છે ! એ ૧૯૩૩માં હિંદુસ્તાનમાં ૭ લાખ ગામો અને નગરો હતાં. બૅન્કોની કુલ ૭૦૦ બ્રાન્ચ હતી. ૧૯૨૪-૨૫માં સોનાના ભાવ પડયા ત્યારે હિંદુસ્તાને સોનાની વધારે ખરીદી કરી. ઇંગ્લેન્ડે ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કર્યો. કૃષિના ઉત્પાદનના ભાવ પણ ૧૯૨૯-૧૯૩૦ અને પછીનાં ૧૯૩૦-૧૯૩૨નાં વર્ષોમાં હિંદુસ્તાનમાં પડતા રહ્યા, અને દેશની આર્થિક સ્થિતિ ગબડતી ગઈ. સોનું એક જ હતું, જેના ભાવ વધતા જતા હતા. એ દિવસોમાં સોનાના ભાવ ૨૧ રૂપિયા ૫ આના તોલો(૧૦ ગ્રામથી જરા વધારે)થી વધીને ૨૬ રૂપિયા સુધી પહોંચી ગયા હતા, અને એ પછી ૩૨ રૂપિયા સુધી આવી ગયા હતા. સોનાનું ઍક્સ્પૉર્ટ થવા લાગ્યું (ઇંગ્લેન્ડના ચલણી અર્થતંત્રને બચાવવા માટે ?) આ જ દિવસોમાં પ્રજામત આ સોનાના ઍક્સ્પૉર્ટના વિરુદ્ધ જવા લાગ્યો અને હિંદુસ્તાનમાં એક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના થવી જોઈએ એવી ડિમાન્ડ થવા લાગી. ૧૯૩૫માં રિઝર્વ બૅન્કની સ્થાપના થઈ. ઇંગ્લેન્ડના અર્થતંત્રને બચાવવા માટે ઇન્ડિયા સોનું ઍક્સ્પૉર્ટ કરતું રહ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ સ્થિર થતાં આ સોનાની નિર્યાત બંધ થઈ ગઈ.

સર કીકાભાઈ પ્રેમચંદ લખે છે કે હિંદુસ્તાને સોનું ઍક્સ્પૉર્ટ કરીને બ્રિટિશ સામ્રાજ્ય અને યુનાઇટેડ કિંગ્ડમને વિશ્વની મંદીના શોકમાંથી બહાર નીકળવામાં જબરદસ્ત સહાય કરી હતી.

સોનાનું ઉત્પાદન એ ૧૯૩૦ના દશકમાં પણ અત્યંત કઠિન હતું. મૈસૂર (આજના કર્ણાટકમાં)ની કોલાર ગોલ્ડ ફિલ્ડ સોનાની ખાણ મદ્રાસથી ૧૨૫ માઈલ પશ્ચિમમાં હતી અને સમુદ્રતલથી ૨૮૦૦ ફીટની ઊંચાઈ પર હતી. ૧૯૩૨ના અંત તરફ એ ૬૩૮૦ ફીટ ઊંડી બની ચૂકી હતી ! સોનું પ્રાપ્ત કરવાની આવી...પ્રક્રિયામાં એક ટન પથ્થરમાંથી અંતે ૪થી ૫ ગ્રેઇન સોનું નીકળતું હતું. ૨૩,૦૦૦ મજદુરો ૨૦,૦૦૦ હોર્સપાવર મશીનરીથી એક મહિનો પરિશ્રમ કરે તો એક સામાન્ય સૂટકેસ ભરાય એટલું સોનું પ્રાપ્ત થતું હતું, જે રિફાઇન થવા માટે ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયાની મિન્ટમાં મુંબઈ મોકલવામાં આવતું હતું. કોલારમાં ૩૩૦ યુરોપિયનો, ૨૩,૦૦૦ ઍંગ્લો-ઈંડિઅન અને ઈંડિઅનો (એ દિવસોમાં બંનેને જુદા ગણતા હતા !) કામ કરતા હતા, જેમાંથી ૧૨,૦૦૦ ભૂગર્ભ મજદૂરો હતા. હવે વિચારો કે તમે પહેરેલી સોનાની વીંટીની પાછળ કેટલા હજાર શ્રમિકોનો પસીનો વહ્યો ?

સન ૭૭માં (ઇતિહાસકાર) પ્લીનીએ લખ્યું હતું કે નાયરોના દેશ (ભારતવર્ષ)માં સોનાની અને ચાંદીની ઘણી ખાણો છે.

હમણાં હમણાં તાજેતરની અંદર જ ભારતે બ્રિટન પાસે ગીરવે મૂકેલું 400 ટન સોના માંથી 200 ભારત લાવવાની તસ્દી લીધી છે અને એ પણ બહુ અટપટા સંજોગો સમયને આધીન રહીને!!! હજી પણ કદાચ 300 ટન જેટલું સોનું ભારતનું બહારના વિદેશોની અંદર જ સચવાયેલું પડ્યું છે જેને લોકરમાં મૂકેલું છે એવું કહી શકાય!!

2014 થી 2024 ની વચ્ચે ભારતે એની શાખ વધારીને ચોક્કસ રીતે સોનું વૈશ્વિક કક્ષાએ ખરીદ્યું છે અને એ ચોક્કસથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખ ઉંચી રાખી શકે એવી વાત છે જ , પણ મારું મંતવ્ય એવું છે કે જો ભારત 27 ટન સોનાની ખરીદી કરી શકવા ને સમર્થ હોવા બાદ પણ ઇન્ટરનેશનલ ધોરણે એની પોતાની કરન્સી ઊંચી નથી લાવી શકતું, એને આપણે શું કહી શકીશું..??? અને તરત જ બીજું એવું ડિસિઝન આયુ કે બ્રિટન પાસેથી 200 ટન સોનું આપણે છોડાવ્યું કે જે ત્યાંના સેફ વોલ્ટમાં હતું, તો શું ભારતની અંદર એવો કોઈ સેફવોલ્ટ અત્યાર સુધી હતો જ નહીં??? તો અત્યાર સુધીના જે આગળના પ્રધાનમંત્રીઓ આવ્યા તેમણે બચત ક્ષેત્રે ભારતને શું આપ્યું? કશું નહીં???!  ઉપરથી લોન લે લે કરી...???  અને 2014 થી 2024 માં આરબીઆઈ અચાનક જ રિઝર્વ ફંડ ઊભું કરતી થઈ ગઈ????

પ્રોવિડન્ટ ફંડ ઈએસઆઇસી અથવા તો ઇન્સ્યોરન્સ ની કેટલી બધી મોટી માયાજાળવાળી કંપનીઓની અંદરના જે ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે એનું સરકાર શું કરી રહી છે???

જો સરકાર કશું નથી કરી રહી અને છતાં પણ જો ભારત સોનું ખરીદી રહ્યું છે તો પછી ભારતના જે ચલણી સિક્કા છે, એની શાખ વધીને નિમ્ન કક્ષાની શા માટે થતી જાય છે??

અને છેલ્લા કેટલા સમયથી ડોલરની સામે રૂપિયો 83 ઉપર અડીખમ જ છે તો ન્યુમરોલોજી વાળાને એક વિનંતી, જો કોઈ જાણતું હોય તો કે આઠ ત્રણ નો મહિમા શું છે એ સમજાવે...!!!

અત્યારે હાલના તબક્કે ભારતની અંદર જે સૌથી પહેલા તાંબાના સિક્કા હતા, તેમાંથી ક્રોમમાં આપણે આવ્યા, પછી ક્રોમ ની અંદર લોખંડ ભેળવતા ગયા, પછી પાછા એકલા લોખંડના સિક્કા આવ્યા, પછી જે પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા આવ્યા એની અંદર ક્રોમ અને તાંબુ પિત્તળ તે પંચ ધાતુનું મિશ્રણ આપણે જોવા મળ્યું, પરંતુ હમણાં તો પરિસ્થિતિ એવી થઈ છે કે સિક્કાઓ ની અંદર જે પણ ટંકશાળમાં તે થતો હોય તેની ભલે સાબિતી હોય, પણ તોય કોઈ એની ઉપર વ્યવસ્થિત રીતે મ્હોર ના મારી શકે, કે આ ભારતની ભારતીય સરકારે જ આ સિક્કો છાપ્યો હશે, કેમકે સતત એની અંદર લોખંડનું પ્રમાણ મહત્તમ જોવા મળ્યું છે...

ભારતની અંદર આવા લોખંડના સિક્કાઓનું મેનુપ્યુલેસન ખૂબ જ પ્રમાણમાં ઊંચું હું તો જોઈ રહ્યો છું, ભલે ડિજિટલ પેમેન્ટ થતું હોય પણ ઘણા લોકો એવા છે કે જે સિક્કા ની અંદર લેવડ દેવડ કરે છે...

અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સપોઝ કોઈ જગ્યાએ ચલણી સિક્કા ના હોય તો એની જગ્યાએ ચોકલેટ અપાતી હતી હમણાં હમણાં જ્યારે મારી દીકરી હાઇસ્કુલમાં ભણતી હતી ક્યારે એક વેજીટેબલ શોપ વાળાએ એક અને બે રૂપિયાની કુપન કાઢી હતી!!! અને આવું તો ઘણી બધી જગ્યાએ થયા કરે છે, શું જગન્નાથજી મહારાજને આ વાતની ખબર નથી??? ભારતના આટલા બધા લોકો, જે લોકો તેમને સતત ભજે છે, તેમના માટે ભારતીય આર્થિક ઉન્નતિનો એક વિચાર શુદ્ધ રૂપ અનુસરી, ઉત્થાન નથી કરી શકતા???

દિવંગત શ્રીયુત ચંદ્રકાંત બક્ષીભાઈના પુસ્તક "ગુજરાત અને ગુજરાતી" માંથી સંકલિત અંશ લઈ આ બ્લોગનો તખતો તૈયાર કર્યો..

અષાઢી બીજ ની સૌને રથયાત્રા નિમિત્તે શુભકામનાઓ  
"जय जगन्नाथ"  

"जय जगन्नाथ" 
 ⭕♠️⭕
"जय जगन्नाथ" 
 ⭕❗⭕
"जय जगन्नाथ" 
 ⭕♦️⭕

Jay Gurudev Dattatreya


Jay Gurudev Dattatreya  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગ મહેતા ના સાદર પ્રણામ

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...